દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની થતી ખરીદી

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી આગામી તા. ૩૧ સુધી ચાલું છે. જેમાં ઘઉં માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ અને ચણા માટે ગુજકોમાસોલ એમ બે એજન્સી નિયત કરવામાં આવી છે. ઘઉં માટે રૂ. ૧૯૨૫ પ્રતિ ક્વિન્ટલ અને ચણાના રૂ. ૪૮૭૫ પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે.
ટેકાના ભાવે આ બન્ને જણસો વેચવા માંગતા ખેડૂતોએ ચાલુ વર્ષના ૭/૧૨ અને ૮ અ ના ઉતારા, પાસબૂક અથવા કેન્સલ્ડ ચેક સાથે તાલુકાના ગોડાઉનનો સંપર્ક કરવાનો રહેશે. આ માટે તાલુકાના ગોડાઉન માટે સંપર્ક નંબર આ મુજબ છે. દાહોદ ૬૩૫૯૯૪૬૦૫૩, ગરબાડા ૬૩૫૯૯૪૬૧૦૧, ધાનપુર ૯૯૦૯૬૫૩૯૭૮, દેવગઢ બારિયા ૬૩૫૯૯૪૫૮૮૯, લીમખેડા ૬૩૫૯૯૪૬૧૦૦, ઝાલોદ ૯૯૭૯૯૮૯૨૫૪ અને ફતેપુરા ૬૩૫૯૯૪૬૧૦૩ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *