કાલોલ: માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવકોની અર્થી સાથે ઉઠતા નાનકડું ભૂખી ગામ હિબકે ભરાયું

Kalol Latest Madhya Gujarat

ગત સોમવારની સમી સાંજે કાલોલ મલાવ રોડ પર વાટા પાટીયા અમૃત વિધાલય પાસે ટાટા 407 ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કમનસીબે મોતને ભેટેલા બે યુવકો ઠાકોર મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા જાદવ કિરપાલસિંહ વિજયસિંહની અંતિમયાત્રા એક સાથે નીકળતાં નાનકડા ભૂખી ગામમાં માતમ છવાયો હતો. ઉપરોક્ત યુવકો પૈકી મહેન્દ્રસિંહ નું ઘટના સ્થળે મૉત થયું હતું જયારે કિરપાલસિંહ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત ને ભેટ્યો હતો. બંને યુવકોના મૃતદેહો વારાફરતી ભૂખી ગામે પહોંચ્યા હતા તેમ છતાં ગ્રામ્ય વિસ્તારના ભાવુક નાગરિકો એ લાગણીવશ થઈ બન્નેને એક જ અંતિમયાત્રાથી વિદાય આપવાનું નક્કી કર્યું હતું. માનો ખોળો છોડી જીવન સાફલ્યની પરિપૂર્ણતા પામવા યુવાનીના ઉંબરે હજુતો માંડ ડગ જ માંડયો છે ત્યાં કુદરતે પોતાની ગોદમાં સમાવી લીધેલા આ બંન્ને યુવકોના પાર્થિવદેહને અંતિમદર્શન માટે મુકવામા આવ્યા તયારે તેમના પરિજનો સહિત ગામના સૌ કોઈ અબાલ વૃધ્ધ ડૂસકે ભરાયા હતા. અંતિમવિધિમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબના સોશ્યલ ડિસ્ટનસનું સાર્વત્રિક પાલન કરવામા આવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *