કેશોદ તાલુકા સરપંચ યુનિયને ડે.કલેકટરને આપ્યું આવેદનપત્ર

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

હાલમાં કોરોના વાયરસની ગંભીર સમસ્યા ઉદભવી હોય જેમાં ખેડુતોને ખેતીવાડી પાક ધિરાણ લોન નવા જુની કરવાની થતી હોય જેથી તમામ બેંકોમાં ખેડુતોની ખુબ જ મોટી લાઈનો જોવા મળે છે જેથી કોઈપણ પ્રકારનું સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થતું નથી તેમજ હાલમાં ટુંક સમયમાં ખેડુતોને પાક ધિરાણ રીન્યું કરવાની મુદત પુર્ણ થતી હોય જે બાબતે પણ ખેડુતો મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી પાક ધિરાણની મુદતમાં વધારો કરવામા આવે તેમજ પાક ધિરાણ રીન્યું કરવામા લોનની રકમ ભર્યા ખેડુતો પાસેથી વગર માત્ર પાક ધિરાણ લોનનું વ્યાજ લઈ પાક ધિરાણ લોન રીન્યું કરી આપવામા આવે જેથી ખેડુતોને પડતી મુશ્કેલીઓ હલ થાય તેવી ખેડુતોની લાગણી અને માંગણી સાથે કેશોદ તાલુકા સરપંચ યુનિયન દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપી સરકાર શ્રી સુધી રજુઆત પહોંચાડવા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જે બાબતે કેશોદ ધારાસભ્ય તથા સાંસદ શ્રી ને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું કેશોદ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ રામભાઈ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *