અમરેલી: બાબરા તાલુકા કોંગ્રેસ પક્ષ દ્રારા આજરોજ બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

સમગ્ર દેશમાં કોરોના વાયરસ નો કાળો કહેર છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ ને લઈ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ની અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસ દ્રારા બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્ર માં મુદ્દાઓ હતો કે, માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધી ના તમામ લોકોના વીજળી ના બીલ માફ કરવા તથા ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરીવાર ના તમામ વેરાઓ માફ કરવા તેમજ ખાનગી શાળાઓ ના આગામી છત્રની ફી પણ માફ કરાવવી સાથે ખેડુતો ના કુષિ ધીરાણ ને ઓટો રીન્યુલકરી વ્યાજ પણ માફ કરવામાં આવે તે બાબતે આજરોજ બાબરા તાલુકા કોંગ્રેસ પક્ષ અને લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ના અધ્યક્ષ સ્થાને બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ છે.

આ તકે બાબરા લાઠી ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર, તાલુકા પંચાયત ના પ્રમુખ ધીરુભાઈ વહાણી, તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા, તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી કુલદિપભાઈ બસીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસનતભાઈ ચોવટીયા, પ્રતાબભાઈ કોઠીવાળ, સહિત તાલુકા કોંગ્રેસ ના આગેવાનો યુવા કાર્યકર્યાઓ હાજર રહ્યા હતા અવે બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *