મહીસાગર: આજરોજ લુણાવાડા મામલદારને આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

આજરોજ લુણાવાડા મામલદાર ને આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું જેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ જેવાકે.
(૧)માર્ચ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે.
(૨)ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે.
(૩) ખાનગી શાળાની આગામી શૈક્ષણીક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે. આવા મુદ્દા સાથે શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત ડેલીગેટ પી એમ પટેલ તથા કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *