પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદન પત્ર

Latest shera

છેલ્લાં ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષતઃ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, સમગ્ર ધંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યુ છે. પ્રજાજનો પાસે જે કંઈપણ આછીપાતળી બચત થતી તે પણ સંપૂર્ણપણે ખર્ચાઈ ગઈ છે. આ સંજોગોમાં ગરીબ – મધ્યમવર્ગના સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની છે. આવા સંજોગોમાં પ્રજાજનોને શક્ય તમામ રીતે અને મહત્તમ સહાય કરવી તે આપણાં સૌની ફરજ છે. વિશેષતઃ સરકાર અને વહીવટી તંત્રની તો આ બંધારણીય ફરજ પણ છે. હંમેશા પ્રજાજનોને પડખે રહેવાની અને પ્રજાજનોની સહાયરૂપ થવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની અને યોગ્ય રજૂઆત કરવાની કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે. આ સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં લાંબા લોકડાઉનને લીધે આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિ એ આવેદન પત્ર આપી નીચેની માંગણી અને રજૂઆત કરે છે.
માર્ચ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે.
ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે.
ખાનગી શાળાની આગામી શૈક્ષણીક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે.
લાંબા લોકડાઉનના વર્તમાન કપરાં સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યૂઅલ અમલમાં મુકે અને વ્યાજ માફ કરે.
વર્તમાન અત્યંત કપરાં સંજોગોમાં જરૂરીયાતમંદ સૌ લોકોને સહાય પૂરી પાડવી તે માટે સરકારી યોજનાઓમાં માનવીય અભિગમ દાખવી સૌને આવી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *