રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના મહામારી દરમ્યાન જરૂરીયાતમંદ લોકો ને રાશનકીટ વિતરણ, ઘર વિહોણા લોકો ને ભોજન વિતરણ સહિત કામગીરી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમા અનેકલોકોએ સહયોગ કરેલો છે. જેમાં ટ્રસ્ટના તમામ પૂજારી તથા પ્રક્ષાલન પુજારી એ મળીને કુલ રૂ|.૩૭,૪૦૦/ ની મદદ નો ચેક શ્રી સોમનાથ ટ્રસ્ટ ને મુખ્ય પુજારીશ્રી વિજયભાઈ ભટ્ટ ના હસ્તે આજરોજ અર્પણ કરેલ છે.