જૂનાગઢ: કેશોદમાં કોરોના વોરીયર્સ ની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે જે સંકરમણને અટકાવવા સરકાર દ્વારા એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ અત્યાર સુધીમાં ચાર વખત લોકડાઉંન જાહેર કરવામા આવ્યુ છે. ત્યારે લોકડાઉંનના સમયમાં પણ સતત બે માસ જેટલા સમયથી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી અને જેઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દિવસ રાત જોયાં વગર લોકોને નિયમીત વિજ પુરવઠો આપવામા હંમેશા તત્પર રહે છે. જેઓની કામગીરીને તાલુકા ભરમાં બિરદાવાઈ રહીછે કેશોદ સર્વ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ સાથે કેશોદના પીજીવીસીએલ અધિકારીઓનું સન્માન પત્ર સાથે સાલ ઓઢાડી વિશિષ્ઠ સન્માન કરવામા આવ્યું હતું. જેમાં પીજીવીસીએલ એકજીકયુટીવ એન્જીનીયર આર. જી. ગોવાણી શહેર ડે. એન્જીનીયર જે. કે. મકવાણા ગ્રામ્ય વિભાગ ૧ ડે. એન્જીનીયર એચ. જી. સોલંકી વિભાગ ૨ ડે. એન્જીનીયર કે.ડી.ચારેલ સહીતના અધિકારીઓ તેમજ પીજીવીસીએલ કર્મચારીઓનું કેશોદ સર્વ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *