કેશોદમાં સાડા છ વર્ષની મારિયા સર હરણીરોઝુ કોરોના થી છૂટકારા માટે આઝીઝી પૂર્વક ખૂદાની બંદગીમાં લીન

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

સમઞ્રવિશ્વ આજે કોરોના મહામારી ના ભયંકર ભરડામાં ઘેરાયેલું હોય દરેક ધર્મ મઝહબના લોકો પોતાની આસ્થા ઈમાન દ્વારા આ મહામારીને મહાત કરવા પોતપોતાના ઈશ્વર ખૂદાને વિનવી આ મહામારી થી છૂટકારો ઈચ્છે છે
ઈસ્લામ ધર્મમાં ઈબાદત બંદઞીનો મહીનો માહે રમઝાન શરિફ હાલ પુર્ણતાના આરે હોય આજે 27=મો હરણી રોઝુ જે મોટારોઝા તરીકે ઓળખાય છે તે હરેક મૂસ્લીમ બિરાદરો ઉપરાંત હિંદુ ધર્મના લોકો પણ રોઝુ રાખે છે
આજે ઞુરૂવારે આ હરણી રોઝુ સરરાખીને (રાત્રે કશુજ ખાધાપીધા વગર ) રાખીને કેશોદના હારૂનશા સર્વદીની દોહીત્રી ઉમર સાડા છ વર્ષની મારિયા તૌફિકશા સર્વદી દાતાર રોડ જુનાગઢએ આ કઠોર તાપ ગરમીમાં રોઝુ પૂર્ણ કરી ફક્ત ને ફક્ત આવી પડેલ આફત કોરોના ને વિશ્વભરમાંથી નેસ્ત નાબુદ કરવા પોતાની કાલીધેલી ભાષામા વિનવી આજે આસ્થા ઇમાનનુ જવલંત ઉદાહરણ પુરૂ પાડેલ છે
હે ઈશ્વર ખુદા આવા માસૂમોની પ્રાર્થના દુઆઓ કબુલકરી સર્વમાનવ સમાજનૂ કલ્યાણ કરે તેવી ઈચ્છા આકાક્ષાઓ હરેક માનવીની પૂર્ણ કરો એજ અભિયર્થના ઉમિદ સાથે આઝીઝી પુર્વક “કોરોના”થી છુટકારો મળે તેવી દુઆ કરવામા આવે છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *