કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિનો વિરોધ

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કાપડબજાર,કટલેરી બજાર અને મોબાઈલ નાં ધંધાર્થીઓ એ બંધ પાળ્યો

કેશોદ શહેરમાં સરકાર દ્વારા કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ ની ગાઈડ લાઈન મુજબ ઓડ-ઈવન પધ્ધતિ નો કેશોદ શહેરમાં વિરોધ કરવામાં આવ્યો છે કાપડબજારમાં એકી બેકી સંખ્યા મુજબ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. કેશોદ શહેરમાં કટલેરીનાં વેપારીઓ અને મોબાઈલ એશોશીએસન દ્વારા ધંધા રોજગાર બંધ રાખી લેખિત રજૂઆત કરી હતી. સરકાર દ્વારા સત્વરે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કેશોદ સજ્જડ બંધ રાખવાની ચીમકી આપી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ લગાવવામાં આવેલાં સ્ટીકરો માં વ્હાલાં દવલાની નિતિ રાખી એક જ ધંધાનાં સ્થળે એકી બેકી બન્ને સ્ટીકરો લગાવી વિવાદમાં આવ્યા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *