રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સૌરાષ્ટ્ર ભરમાં કોરોનાના ભયથી દરેક વિસ્તારમાં શ્રમિકો પોતાના વતન ભણી જઈ રહ્યા છે ત્યારે રાજુલા વિસ્તારમાં આવેલી મહાકાય કંપનીના મજૂરો જે બિહારના વતની છે તેમની પોતાના વતનમાં જવાની માંગને ધ્યાનમાં લઈને જિલ્લા આયોજન અધિકારી તેમજ જિલ્લા કલેકટર ની સૂચના મળતા રાજુલા ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદાર ગઢીયાની સૂચના મુજબ રાજુલાના નાયબ મામલતદાર રાહુલભાઈ તેમજ રાજુલા પાલિકાના ચીફ ઓફિસર ની મહેનતથી આજે બિહારના 171 લોકો લકઝરી બસ મારફત જૂનાગઢ મોકલી આપેલ છે જે જૂનાગઢથી રાત્રે 10 વાગે બિહાર માટે ટ્રેન રવાના થશે ત્યારે આજે સવારે આ મજૂરો ને જ્યારે રવાના કર્યા ત્યારે જે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે તે કોઈપણ માણસ જોવે તો તેને પણ આંખમાં આંસુ આવી જાય ત્યારે સહુ કોઈ શ્રમિકોએ રાજુલા નાયબ મામલતદાર તેમજ ચીફ ઓફિસર તેમજ પાલિકાના તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનેલ છે