રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાં શેઠવાડામાં આવેલ પૌરાણીક ૧૦૦ વર્ષનુ જુનુ સ્વામિનારાયણ મંદિર આવેલ છે. કોઠારી સ્વામી રામદાસ સ્વામી દ્વારા વૈશાખ સુદ-૩ થી ઉનાળામાં ભગવાનને ગરમી ન લાગે તે માટે શીતલ જલ સેવા તથા ચંદનનાં વિવિધ લેપ કરી ઠંડક અપાઈ રહી છે. આજે અમાસના દિવસે લક્ષ્મીનારાયણદેવને કેસરી ચંદન ત્થા સુકા મેવા, કાજુ બદામનાં વસ્ત્રોનો શણગાર કરાયો હતો. હરીભકતોએ સોશ્યલ મીડિયા માઘ્યમથી દર્શન કરી ધન્ય બન્યા હતા.