અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ચાલતા મનરેગા યોજનાના રિલીફ કાર્યની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

લાઠી તાલુકામાં છભાડિયા અને ભિગરાડ સહિતના ગ્રામ્યમાં ૧૨૦૦ થી વધુ ને યુપી સરકાર માં બંધારણીય સુધારો કરી ફરજીયાત સો દિવસ રોજગારની ગેરિટી આપતી યોજના મનરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય રોજગારી ૯૦૦ થી વધુ શ્રમિકોની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે ૩૦૦ થી વધુ કુલ ૧૨૦૦ શ્રમિક પરિવારને રાહત કાર્યના શ્રમિકોની મુલાકાતો ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે શ્રમિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મકવાણા સાહેબ સહિત ઓર્ગેનાઇઝર શ્રી નીતિનભાઈ પુનતીયા સહિતના શ્રમિકોને આપતી રોજગારી અને પીવાના પાણી સહિત કામના કલાકો નાણાંની ચુકવણી સહિતની વિગતો મેળવી હતી. લાઠી તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમજીવી પરિવારો નિયમિત રોજગારી મળી રહે તેવા હેતુ એ જ્યાં જરૂર જણાય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં રિલીફ કર્યો શરૂ કરવા સરકાર વધુ દિવસો સુધી શ્રમિકો રોજગારી મેળવી શકે અને શ્રમિકો ને મળેલ બંધારણીય રોજગાર અધિકાર આપતી મનરેગા યોજના અંતર્ગત ઘર આંગણે રોજગાર મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે તત્કાલીન વડાપ્રધાનની દુરંદેશી થી દાખલ થયેલ યોજના થી હજારો શ્રમિકોને રોજગાર કપરા કાળમાં આશીર્વાદરૂપ બની રહ્યા છે. આ રોજગાર તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં સારી રીતે ચાલે અને વધુ લોકોને રોજગારી મળે તે માટે તાલુકા ના તંત્ર સાથે ધારાસભ્ય શ્રી ઠુંમર સહિત ના અગ્રણીઓ તે સ્થળ વિઝીટ કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *