કાલોલ ના નિવૃત્ત તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી શું આવ્યો નિર્ણય…? વાંચો પૂરી વિગત…

breaking Gujarat Kalol Latest Madhya Gujarat


વીરેન્દ્ર મેહતા : પંચમહાલ.

કાલોલ તાલુકામાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવનાર અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી (હાલ નિવૃત)એ પોતાની રાજ્ય સેવક ની ફરજો દરમિયાન તા ૦૧/૦૪/૨૦૦૬ થી તા ૩૦/૦૬/૨૦૧૭ સુઘી ની ફરજ દરમિયાન પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી ને જાહેર સેવક તરીકે ભ્રષ્ટાચાર કરી સ્થાવર જંગમ મિલકતો માં આવક કરતાં ૨૯.૫૫% વધુ રોકાણ કરેલ છે અને રૂ ૪૧,૭૪,૪૧૪/ નો ભ્રષ્ટાચાર થયો હોવાનુ જણાવી ગોધરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલ ત્યારથી તે પોતાની ધરપકડ થી બચવા માટે ભુગર્ભ મા ઉતરી ગયેલ છે જેઓએ પંચમહાલ નાં બીજા એડિશનલ સેશન્સ જજ હાલોલ એલ જી ચુડાસમા ની કોર્ટ માં પોતાના એડવોકેટ મારફતે આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

જેની સુનાવણી દરમિયાન અરજદાર તલાટી કમ મંત્રી ના એડવોકેટ દ્વારા રજૂઆત કરવામા આવી હતી કે ફરિયાદ માં તદન ખોટી રીતે અરજદાર ની આવક વધુ બતાવેલ છે પગાર પણ ખોટો બતાવેલ છે તેના બન્ને પુત્રો ડોક્ટર છે અને તેઓનો વ્યવસાય અલગ છે તેઓની પત્ની પણ ભાગીદારી માં વેપાર કરે છે તેઓનો પોલ ઇન્ડસ્ટ્રી અને દોલતી કોંક્રિટ, આર બિલ્ડર પોલ ફેકટરી જેવા ધંધા રોજગાર મા છે અને વર્ષ ૨૦૧૨/૧૩ થી ૨૦૧૮/૧૯ સુધીનું આ ધંધાનું ટર્ન ઓવર રૂ ૨૬ કરોડ થી વધુ છે. વધુમા તલાટી કમ મંત્રી તા ૩૦/૦૬/૨૦૧૭ નાં રોજ નિવૃત્ત થયેલ છે તેથી તેઓને લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ સુધારો ૨૦૧૮ બંધનકર્તા નથી પોતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર નાં દરદી હોય સ્થાવર જંગમ મિલકતો ધરાવતા હોય યોગ્ય શરતોને આધીન આગોતરા જામીન મંજુર કરવા પ્રાર્થના કરી હતી અને તે સંબધ માં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નાં સંખ્યાબંધ ચુકાદા રજુ કરેલ જ્યારે સામા પક્ષે સરકારી વકીલ આર. ડી શુક્લે જણાવેલ કે અરજદાર સીધી રીતે આરોપમાં સામેલ છે જો આગોતરા જામીન આપવામા આવે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે અરજદાર પોલીસ તપાસ મા કોઈ સહકાર આપતા નથી અને ફરાર થયેલ છે તેઓ પાસપોર્ટ ધરાવે છે અને ભારત બહાર ભાગી જવાની શક્યતા છે ગુનાની ગંભીરતા જોતા આગોતરા જામીન અરજી નામંજૂર કરવાની દલીલો સાથે ગુજરાત હાઈકોર્ટ નો એક ચુકાદો અને સુપ્રીમ કોર્ટ ના બે ચુકાદા રજુ કરેલ બન્ને પક્ષો ની દલીલો બાદ પંચમહાલ (હાલોલ) ના બીજા એડિશનલ સેશન્સ જજ એલ જી ચુડાસમા એ સોમવારે પોલીસ તપાસ પુરી થયેલ નથી અને અરજદાર ની હાજરી વીના તપાસ શક્ય નથી જો આગોતરા જામીન આપવામા આવે તો પોલીસ તપાસમાં અવરોધ આવે તેમ છે તેમ જણાવી નિવૃત્ત તલાટી કમ મંત્રી અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *