દાહોદમાં ૮૦ વર્ષના વૃદ્ધાએ કોરોના માત આપી,કોરોનાના વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ

Corona Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ

દાહોદ ની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પાંચ દર્દીઓને રજા અપાયા બાદના આજે વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતા દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને રજા અપાઇ છે. હવે માત્ર આઠ જ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આજે સાજા થનાર બે દર્દીઓમાં બતુલબીબી પઠાણ નામના ૮૦ વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. તેમને ડાયબીટીસ, બ્લડપ્રેશર હોવા છતાં તેમણે કોરોનાને માત આપી છે. ડો મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા કરાયેલી ઘનિષ્ટ સારવારને કારણે તેઓ આજે સાજા થઈ ઘરે ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *