પાકિસ્તાન નજીક ફસાયેલા કોળી સમાજના ૨૮ લોકોની વ્હારે ધારાસભ્ય અંબરીશ ડેર આવતા વતન પહોંચ્યા.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

લોકડાઉન નાં કારણે અસંખ્ય પરિવારો પોતાના ઘર તથા વતન થી દૂર રોજીરોટી માટે દૂર દૂર નાં જિલ્લાઓમાં ફસાયેલા હતાં જેમ જેમ લોક ડાઉન નાં તબક્કાઓ વધતા જતા ગયા તેમતેમ આ પરિવારો ની ચિંતા વધતી જતી હતી ત્યારે સરકાર દ્વારા વતન વાપસી માટે મંજૂરી આપતા રાજુલા મતવિસ્તારના સેવક ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ સહિતના લોકોએ દરિયાઇ પટ્ટી વિસ્તારના શ્રમિકો પરિવારો ને માદરે વતન પહોંચાડવા માટે બીડું ઝડપ્યું હતું ત્યારે આવાં અસંખ્ય પરિવારો દ્વારા ધારાસભ્ય નાં આવકાર કાર્યલય નો સંપર્ક સાધતાં ધારાસભ્ય ની ટીમ દ્વારા ઓનલાઇન મંજૂરી થી લઈને વાહનો વ્યવસ્થા તથા માદરે વતન પહોંચાડવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રાજુલાના ચાંચ બંદર ગામના રહેવાસી ૨૮ લોકો કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાના લોદ્રાણી ગામ પાસે પાકિસ્તાનની બોર્ડર નજીક રોજગારી અર્થે ગયેલા હતા

પરંતુ લોકડાઉનનાં કારણે આ પરિવારો ત્યાં ફસાયેલા હતાં ત્યારે રાજુલાના ધારાસભ્ય નો સંપર્ક કરતાં તેમનાં દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી તથા ઓનલાઇન મંજૂરી મેળવવા માટે આ શ્રમિક પરિવારોની મદદ રાપર મતવિસ્તાર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા નાં કાર્યલય થી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ નાં ધારાસભ્યો તથા આગેવાનોની મદદથી આ પરિવારો પોતાના માદરે વતન ચાંચ બંદર ગામે પહોંચ્યા હતા. ત્યારે આ પરિવારો એ મદદ કરનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *