અમીરગઢ તાલુકા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉજવણી ની સમિતિ દ્રારા આંબેડકર જન્મજયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

Banaskantha Latest

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા

દેશના ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતી નિમિતે અમીરગઢ તાલુકા ડો. બાબાસાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્રારા મહાનરત્ન અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ની પ્રતિમાને લઈ સમગ્ર નગરમાં ડીજે સાથે વિશાળ જનમેદની વચે વરઘોડા સાથે ભવ્ય રેલી યોજી સમગ્ર પંથક ના ભીમ બંધુઓ એકત્રિત થઈ અમીરગઢ આંબેડકર ચોક માં બાબાસાહેબની પ્રતિમા ને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ વિશાળ રેલી માં સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી , એસ સી એસ ટી અને લઘુમતી સમાજના બંધુઓ પણ જોડાયા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના નારાઓ સાથે આપણા બંધારણ ના ઘડવૈયા બાબાસાહેબ ની જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જયારે બીજી બાજુ ડીજે ના તાલે ભીમ બંધુઓ ઝૂમી ઉઠ્યા હતા. અને એક સાથે બાબા સાહેબ ના નામના ગગન ચુંબી નરાઓ સાથે સમગ્ર પંથક બાબા સાહેબ ના રંગે રંગાઈ ગયેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *