રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે કવાંટ નસવાડી ચોકડી પર આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી વિરોધ પ્રદર્શન કરી સ્થળ પર જ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ વિરોધ પક્ષ ના નેતા તેમજ પાવીજેતપુર ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા ને આવેદનપત્ર આપવામા આવ્યું. ગુજરાત રાજ્યના કર્મચારીઓ ના બનેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘ તરફથી રાજ્યમાં નવી પેન્શન યોજના રદ્દ કરી જુની પેન્શન યોજના ફરી થી ચાલુ કરવા કરેલ આહવાન ને લઈને આજરોજ 14 મી એપ્રિલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ને બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવામાં આવે તેવી માગણી સાથે કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા છોટાઉદેપુર સાંસદ તેમજ વિરોધ પક્ષ ના નેતા તેમજ પાવીજેતપુર વિધાનસભા ના ધારાસભ્ય ને આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી હતી.