22 વર્ષ 1 મહિનો 19 દિવસ દેશની રક્ષા કરનાર નિવૃત્ત ફોજીનું કેશોદમાં સન્માન કર્યું .

Junagadh Latest

કેશોદ રેલવે સ્ટેશન પર નિવૃત્ત ફોજી નિલેશગીરી રામગીરી અપારનાથીનું આગમન થતાં જ હાજર રાજકીય, સામાજીક આગવાનોએ પુષ્યગુચ્છ આપી હારતોરા કરી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાદ જાહેર માર્ગો પર સન્માનયાત્રા યોજવામાં આવી હતી.મૂળ બાવા સીમરોલીના વતની અને હાલ કેશોદ રહેતાં નિલેશગીરી વર્ષ 2000માં બોર્ડર સિકયુરીટી ફોર્સ તરીકે દેશની સેવામાં જોડાયાં હતાં. તેઓ 22 વર્ષ 1 મહિનો અને 19 દિવસ ભારતમાતાની રક્ષા કરવા ફરજ બજાવી નિવૃત્ત થયાં હતા. આ પ્રસંગે હાજર યુવાનોએ નિવૃત્ત સૈનિક સાથે સેલ્ફીઓ લઈ ભારતમાતાના નારાઓ લગાવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *