કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આયોજન અંગે મીટીંગ યોજાઈ.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ

કોરોના મહામારીના કારણે બે વર્ષથી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવવાનું નક્કી કરેલું હોય છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાથી ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી સાદાઈથી કરેલી હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાંથી મુક્ત થવા જેવું વાતાવરણ થતા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ની ઉજવણી વર્ષોથી જે રીતે ધામધૂમ અને ઉમંગથી ઉજવતા આવ્યા છીએ તે રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરેલું હોય તો આ પ્રસંગે સમાજ તથા અન્ય સમાજના લોકો રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનો તથા તાલુકાભરના લોકો હાજર રહી આપણા રાષ્ટ્રીય નેતા પ્રત્યેની ફરજ અદા કરીએ એવુ મેઘવાળ પંચ કેશોદની યાદીમાં જણાવાયું છે. આગામી તા. ૧૪ના રોજ બપોરે ભીમ ભાવ ભજન સાથે ડીજેના સથવારે ભવ્યાતિભવ્ય રેલીનું આયોજન થશે સાંજના કેશોદના ચાર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *