અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડની ડાયાલીસીસ સેન્ટર નો શુભ આરંભ કર્યો.

Banaskantha Latest

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા

ગુજરાત વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી આજ રોજ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત આધુનિક ડાયાલીસીસ સેન્ટર નું ઇ-લોકાર્પણ આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા નિમિષાબેન સુથાર માન. રા. ક. મંત્રી આદિજાતિ વિકાસ તથા કાંતિભાઈ કે ખરાડી માન. ધારાસભ્યશ્રી દાંતા ના વરદ હસ્તેઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયાલીસીસ સેન્ટર ચાલુ થતાં લોકો માં ખુશી ની લાગણી જોવા મળી હતી.આ કાર્યક્રમમાં સિવિલ ના અધિક્ષક ,અમીરગઢ સરપંચ,અમીરગઢ PSI એમ. કે. ઝાલા સાહેબ ,તાલુકા હેલ્થ ઓફિસર, સિવિલ નો સ્ટાફ તેમજ ગ્રામ જનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *