જંબુસરના અણખીથી નીકળેલી ભરૂચ યુવા ભાજપની બાઈક રેલી વાગરા પહોંચી, આજે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રસ્થાન કરાવ્યું.

bharuch Latest

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં જંબુસરથી શરૂ થયેલી યાત્રા વાગરા પહોંચતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ આજે ગુરૂવારે સવારે યાત્રાને પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા. ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. જે ગઈકાલે બુધવારે વાગરા ખાતે પહોંચતા ત્યાં રાત્રી નિવાસ કરાયો હતો. આજે ગુરૂવારે સવારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ યુવાભાજના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત તેમની ટીમના યુવાનોને બિરદાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. વાગરાથી શરૂ થયેલી યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઇ ભરૂચ પહોંચી હતી. દેશની આઝાદી પાછળ અનેક યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશ માટે મોતને ગળે લગાવનારા વીર શહીદોની વાતો લોકો સુધી પહોંચે અને દેશના યુવાનો તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે ભાજપના સ્થાપના દિવસથી ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *