સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ખુલ્લી ચેતવણી આપતો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

કોરોનાના સંકટ વચ્ચે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં ફેનસિંગ કામગીરીને લઈને સ્થાનિક આદિવાસીઓ ખૂબ રોષે ભરાયા છે. સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે ફેન્સીંગ કામગીરી દરમિયાન ઘર્ષણના બનાવો બનતા રહી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. એ વિસ્તારમાં નિગમ દ્વારા થતી કામગીરી બાબતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે એ બાબતનો એક મેસેજ પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ નિગમમાં અધિકારીઓને ચેતવણી આપતો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે.

ગરુડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ નિગમના અધિકારીઓને ચેતવણી આપી.
જિતેશ તડવીએ વીડિયોમાં નિગમના અધિકારીઓને સંબોધતા જણાવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં તમને ફેન્સીંગ કામગીરીમાં કેમ રસ છે. તડવી સમાજે સરદાર સરોવર પ્રોજેકટના નિર્માણમાં કેટલો ભોગ આપ્યો છે, તમે એમની સાથે છેતરપિંડી કરો છો એ નિંદનીય છે. છેલ્લા 7 દાયકાથી આ સમાજ અસરગ્રસ્તોના લાભ માટે માંગણી કરે છે છતાં તમે ઉચ્ચ અધિકારી સરકાર સમક્ષ સારી રજુઆત નથી કરી. સરદાર સરોવર ડેમ બન્યો હોવા છતાં અહીંનો વિસ્તાર ખેતીના પાણી માટે વલખા મારે છે એ તમારા માટે શરમની બાબત કહેવાય. અધિકારીઓના પાપે જ આવા બધા પ્રશ્નો ઉદભવે છે. તમારામાં કોઈ આવડત જ નથી. 3 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે જો કલેકટર સમક્ષ સ્થાનિકોને રોજગારી અને અસરગ્રસ્તોને પેકેજ બાબતે એક્શન પ્લાન બન્યો હોત તો આ પ્રશ્નો ઉભા થયા જ ન હોત. આ વિસ્તારમાં મત્સ્યઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે છે. તમે અમારા સમાજને ફક્ત અભણ અને મજબૂર સમાજ તરીકે જ જુઓ છો. એ તમારી ભૂલ છે. તમને ચેતવણી આપીએ છીએ કે આ 6 ગામમાં કોઈ કાર્યક્રમ થશે તો આખો આદાવાસી સમાજ 6 ગામ સાથે ઉભો થશે. સરદાર સરોવર પ્રોજેકટ એક છે તો પેકેજમાં કેમ વિસંગતતા લાવો છો. આ સમાજની માતાઓ વિધવા બની છે, યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમે લારી ગલ્લાઓ પણ હટાવી લીધા. આ જ સમાજને લીધે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ બન્યો છે, સરકારને આવક થઈ છે તો કોઈ પેકેજની તમારી કોઈ ફરજ નથી. ફરિયાદ નિવારણ કચેરી કાર્યરત છે, અરજીઓ ધૂળ ખાય છે એ કચેરી કોઈ કાર્ય કરતી નથી, એમા પણ મિલી ભગત છે કોઈ પ્રશ્ન હલ થતા નથી. અસરગ્રસ્તોને તમે હાલની પરિસ્થિતિને જોઈને લાભ આપો. નિગનામાં કર્મચારીઓએ એકલો ભ્રષ્ટાચાર કર્યો છે, અમે હવે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીશું, ચૂપ નહિ બેસીએ. એક વાર લોકડાઉન ખુલવાદો દેશ પરથી કોરોના સંકટ ટળવા દો. પછી અમારે જે કરવાનું છે એ અમે કરીશું જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *