અમદાવાદમાં ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં ગૌર પૂર્ણિમાની ઉજવણી કરાઈ, ભગવાનને 108 પ્રકારના વ્યંજનોનો રાજભોગ અર્પણ કરાયો.

Ahmedabad Latest

અમદાવાદમાં 18 માર્ચ શુક્રવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે.શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા ઉત્સવ તરીકે દરવર્ષે ઉજવવામાં આવે છે.ભક્ત સમુદાય દ્રારા ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિતરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો. બપોરના સમયે, ભગવાનને 108 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદનો લાભ આપવામાં આવ્યો.સુંદર પૂષ્પોથી સુશોભિત પાલકીમાં મંદિરના અધિકારશ્રેત્રમાં વિહાર કરાવવામાં આવ્યો. ચૌતરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદથી અને ઢોલ નગારાના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.પાલખી ઉત્સવ બાદ ભગવાનનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ, અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્રારા અભિષેક કરવામાં આવ્યો હતો.અભિષેક દરમ્યાન ગૌરઆરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી હતી. પછી ભગવાનને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાનને મહા અભિષેક દરમિયાન અર્પણ કરેલ ફૂલોને ભક્તો ઉપર પ્રસાદ રૂપે વરસાવી, પુષ્પ હોળી પણ રમવામાં આવી જેનો બધા ભક્તોએ ખુબ આનંદ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *