વડોદરા સ્થિત NGOએ પીએમ મોદીના લોકલ ફોર વોકલ અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી ફરીથી સ્વદેશી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું છે. તેના કારીગરો વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં રહે છે, તેઓ આ પ્રકારના માટીના ફટાકડા બનાવવામાં ખૂબ જ નિષ્ણાંત છે. આ લોકો દાડમ, ચકરી, ફુલઝડી, રોશની જેવા વિવિધ પ્રકારના સ્વદેશી ફટાકડા બનાવતા હતા, જે બંધ થઈ ગયા હતા. પરંતુ, NGOએ તેમને મદદ કરી અને કારીગરોએ ફરીથી એ જ પ્રકારના માટીના ફટાકડા બનાવવાનું શરૂ કર્યું, 400 વર્ષથી બનતા હતા
.
