ગીર સોમનાથ: દીવ શાકમાર્કેટમાં લાંબી કતાર જોવા મળી, સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનુ ખાસ પાલન કરાયું

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દીવ પ્રશાસન દ્વારા શાકમાર્કેટ અને ફીશ માર્કેટ ઘોઘલા અને દીવમાં સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શનિવારે જ ખોલાવાનો આદેશ કરે છે. ગુરૂ અને શુક્રવારે માર્કેટ બંધ હોવાથી આજરોજ ઘોઘલા અને દીવ શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરીને લાંબી કતાર જોવા મળી અને શાકભાજી ખરીદ કરવા આવનારનુ પ્રથમવાર હેલ્થ સંદર્ભે થર્મલ સ્કેનીંગ પણ કરાયુ સાથે સાથે ઉનાથી શાકભાજી વેંચવા આવનારનુ ઘોઘલા અને તડ ચેક પોસ્ટ સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા તેમનુ સેમ્પલ લેવામાં આવ્યુ અને આ સેમ્પલ સેલવાસા લેબોરેટરીમાં ચેક થવા જશે. દીવ પ્રશાસન કોરોના બાબતે ખૂબજ સાવધાન અને સર્તક છે કોઈ પણ પ્રકારનુ રીસ્ક પ્રશાસન લેવા માંગતુ નથી અને દીવને કોરોના મુકત રાખવાના સતત પ્રયાસોમાં કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *