સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કર્મયોગીએ પ્રવાસીનું ખોવાયેલ ૨ તોલા વજનનું સોનાનું મંગળસુત્ર પરત કર્યુ.

Narmada

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા

સમયસુચકતા વાપરીને ટિકિટીંગ શાખાનાં કર્મયોગી સૌરભ તડવીએ તમામ હેલ્પડેસ્ક પર જાણ કરી મંગળસુત્ર પરત કર્યુ .
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે. અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિ:સંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે. અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ રૂ. ૭૦,૦૦૦/- ભરેલ પાકીટ ગાઇડમિત્રોને મળી આવતા મુળ માલિકને પરત કર્યું. પ્રમાણે આજરોજ સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝરે મહિલા પ્રવાસીનું ૨ તોલા વજનનું મંગળસુત્ર પરત કરી ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન કર્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સૌરભ તડવી સવારે ૧૧.૩૦ કલાકે શ્રેષ્ઠ ભારતા ભવન સ્થિત ટિકિટ કાઉન્ટર ખાતે પોતાની ફરજ પર હતા. તે વખતે કાઉન્ટરની બહારનાં ભાગે મંગળસુત્ર મળી આવ્યુ, જેની ખરાઇ કરતા સોનાનું હતુ અને તેની કિંમત આશરે ૧,૦૦,૦૦૦/- જેટલી હતી.સૌરભે તુરંત પોતાનાં ઉપરી અધિકારી ઓને જાન કરી હતી. અને મળેલા માર્ગદર્શન મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત કોલ સેન્ટર અને તમામ હેલ્પડેસ્ક પર જાણ કરી હતી. અને મંગળસુત્રનાં માલિક મહિલાની શોધખોળ આરંભી હતી. ૨ કલાક બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં એકઝીબિશનનાં હેલ્પડેસ્ક પર મિલિંદ સકસેના અને તેમનાં પત્નીએ મંગલસુત્ર ખોવાયા અંગે જાણ કરતા તેઓને વહીવટી કાર્યાલય,SOUADTGA ખાતે બોલાવી ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ ખાતરી કરીને સોનાના મંગળસુત્રને મૂળ માલિકને પરત કરવામાં આવ્યુ હતુ.કર્મયોગી સૌરભ તડવીની કામગીરીથી મિલિંદ સકસેના પ્રભાવિત થયા હતા. અને હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો. સૌરભની કામગીરી ને SOUADTGAનાં અધિકારી ઓએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *