ગીર સોમનાથના વેરાવળ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલા ભાજપના સોમ કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું ..

Gir - Somnath

રિપોર્ટર :દિપક જોશી ગીરસોમનાથ

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ હાલ ગીર સોમનાથ ની મુલાકાતે છે. ગીર સોમનાથ ના વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ નુ કરોડો ના ખર્ચે ભવ્ય કાર્યાલય કમળ આકાર નું નિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 400 અને 150 ની ક્ષમતા ધરાવતા 2 મોટા હોલ પણ હશે. જે દેશમાં પ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય પણ હશે. જેનું આજે ખાતમુહૂર્ત હતું. જેનું શાસ્ત્રોક્ત વિધિ થી સીઆર પાટીલ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ છે. ભાજપ કાર્યાલય નું ખાતમુહૂર્ત સહિત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકો નું પણ ઇ-લોકાર્પણ પણ કર્યું હતું. અને ત્યારબાદ ખાતમુહૂર્ત સ્થળે સભા પણ સંબોધી હતી. અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે ગીર સોમનાથ ની જે ચાર વિધાનસભા હાલ કોંગ્રેસ ના કબ્જામાં છે.તે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ચારેય વિધાનસભા પર ભાજપ ની જીત થશે. જેનો સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો
બીજી તરફ ગાંધીનગરમાં ગત રાત્રે બનેલી 10 મહિના ના બાળકને તરછોડવા ની ઘટનાને પણ પાટીલે દુઃખદ ગણાવી છે. ભાજપ ના કાર્યકરો દ્વારા હાલ બાળક ની સાર સંભાળ અને મેડિકલ ટ્રીટમેન્ટ થતી હોવાનું જણાવ્યુ હતું. અને હવે આ મામલે કાયદાકીય પગલાં ભરવાની પણ ખાત્રી આપી છે. ત્યારબાદ પાટીલ સોમનાથ મહાદેવના દર્શને રવાના થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *