પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે સાબરકાંઠા જિલ્લામાં સૌથી અગત્યના એવા રસીકરણ મહાઅભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…

જેમાં જીલ્લામાં એક જ દિવસમાં ૨૧,૨૮૭ લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ૫૪,૪૮૦ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો..

આમ,જિલ્લાના તમામ તાલુકાઓમાં આ અભિયાન યોજાયુ..

જેમાં હિંમતનગરમાં ૨૦,૪૩૦ લોકોએ રસી લીધી, ઇડરમાં ૧૮,૨૫૧, ખેડબ્રહ્મામાં ૯૩૨૫, પોશીનામાં ૪,૨૧૩, પ્રાંતિજમાં ૭૧૯૪, તલોદમાં ૮૫૫૨, વડાલીમાં ૪૪૪૦ અને વિજયનગરમાં ૩૩૬૨ લોકોએ રસીકરણમાં ભાગ લીધો હતો..

આમ એક જ દિવસમાં આરોગ્ય વિભાગ દ્રારા જિલ્લાના ૭૫૭૬૭ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા..

જિલ્લાના સૌ આરોગ્ય કર્મીઓને GMERS General Hospital Himatnagar સૌને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *