ઇકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલી બનાસ નદીમાં ગણેશ વિસર્જન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ….

Banaskantha

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા

-બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે વહેતી બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં માઇભક્તો, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા..
અગાઉ ઉપરવાસમાં વરસાદ થવાથી બનાસ નદીમાં નીર આવતા ભાદરવી અગિયારસના દિવસે મોટી સંખ્યામાં ગણેશજીને વિસર્જન કરવા દૂર-દૂર થી માઇભક્તો ડી જે. ના તાલ સાથે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ ગણેશ વિસર્જન કરવા આવેલા માઇભક્તો નદીના પટમાં ઢોલના તાલ સાથે અનેરો આનંદ માણી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *