ખેડૂતના ઉભા ઘંઉ Pgvcl ની બેદરકારીથી સળગી જતા ખેડુતને વળતર ચુકવવા જુનાગઢ ફોરમ કોર્ટનો આદેશ..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

અગતરાય ગામના ખેડૂત ધીરજલાલ ગોપાલભાઈ ઘોડાસરાના આશરે બે વર્ષ અગાઉ તેના ખેતરમાં વિજ લાઈનમાંથી ઊભા ઘઉમા આગ લાગી જેમાં તમામ તૈયાર પાક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો ખેડુતે કેશોદ pgvcl કચેરી પાસે વળતરની માંગ કરી હતી. પરંતુ pgvcl એ પોતાનો લુલો બચાવ કરતા ખેડૂતને જણાવ્યુ કે , તમારા ખેતરમાં કોઈ વીજ પોલ આવી નથી. અને આગ તમારા બાજુના ખેતરમા લાગીને પછી તમારા ખેતરમાં આગ લાગી છે તેમ જણાવ્યું તેમજ અમે વળતર આપીશું નહીં અને વળતર ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કરી નિરાશ ખેડુતે વળતર મેળવવા કોર્ટનો આશરો લેવા ખેડુતે વંથલીના એડવોકેટ સમા બ્રધર્સ એડવોકેટ ઇબ્રાહીમ.એ.સમા મારફત જીલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં pgvcl વિરુદ્ધ વળતર ચૂકવવા ફરીયાદ કરી અને એડવોકેટ આઇ.એ.સમા દ્વારા ઊચ્ચ અદાલતોના ચૂકાદાઓ તેમજ પ્રખર દસ્તાવેજો રજૂ કરી અને ધારદાર દલીલો કરતા કોર્ટ સમક્ષ pgvcl ની ઘોર બેદકારી સામે લાવી આપેલી ફરીયાદીના બાજુના ખેતરમા વીજ લાઈન માંથી ખેતરમાં આગ લાગીને બાદમાં ફરિયાદીના ઉભા ઘઉ સળગી ગયા કોર્ટે pgvcl ને જ જવાબદાર ગણાવી અને જીલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્રારા Pgvcl કચેરી એ રૂ. એક લાખ બાસઠ હજાર રૂપિયા તથા ૬%લેખે આજ દિન સુધીનુ વ્યાજ તથા ખર્ચ સહિત ખેડુતને ચૂકવી આપવા ચુકાદો આપ્યો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *