અમદાવાદ :અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસ ધંધૂકા-બગોદરા રોડ પર પલટી ખાતા 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, 11ની ગંભીર હાલત.

Ahmedabad

આજે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી.

આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, જેમાં 11 ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી એ દરમિયાન એને અકસ્માત નડ્યો હતો. 4ની હાલત નાજુક જણાતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ધંધૂકાના ખડોળ પાટિયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. એમાં 3 નાનાં બાળક સહિત 11 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતાં ધંધૂકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુરની મળી 6 જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *