અનાજની કાળા બજારી મુદ્દે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ…

Latest

અરજદારે કોર્ટમાં કરેલી રજૂઆતમાં દાવો કર્યો હતો કે રેશનકાર્ડની દુકાનો કરતા વધુ અનાજ અન્ય બજારમાં વેચાઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે રાજ્યના પૂરવઠા વિભાગને મહત્વનો હુકમ કરતાં 2016થી અત્યાર સુધીમાં ભૂતિયા રેશનકાર્ડ અને સસ્તા અનાજની કાળાબજારી રોકવા અંગે શું કાર્યવાહી કરવામાં આવી? તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી થતાં ગરીબોના હક્કના અનાજના કાળા બજાર અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારે રજુઆત કરી હતી કે ગરીબોનું અનાજ અન્ય માર્કેટમાં વેચાઈ રહ્યું છે. આ મામલે પુરવઠા વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ નહીં થતાં હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે. અરજદારની રજૂઆત સાંભળીને હાઈકોર્ટે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ગરીબોનો કોળિયો છીનવનારને બક્ષવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *