પંચમહાલના શહેરાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળા ખાતે 72મા વન મહોત્સવ યોજાયો.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા તાલુકાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળાના પંટાગણમા 72મો વન મહોત્સવ જિલ્લા કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા અને ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વન મહોત્સવમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ મહામંત્રી સંજય ભાઈ બારીઆ ,કૃપાલ સિંહ પરમાર, ગામના સરપંચ પટેલ ધર્મેન્દ્રસિંહ તેમજ વિસ્તરણ રેન્જ શહેરાના પરિક્ષેત્ર વનવિભાગ અધિકારી પી.વી.ભગોરા ,સહીત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દિપપ્રાગટ્ય કરીને વનમહોત્સવના કાર્યક્રમને ખુલ્લો  મુકવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવોએ ઉપસ્થિત ગ્રામજનોને વૃક્ષો રોપીને તેનુ જતન કરવાની હાકલ કરી  હતી. શાળાના મેદાનમા આવેલી ખુલ્લી જગ્યાઓમા  ઉપસ્થિત મહાનુભાવો,સરપંચ તેમજ અગ્રણીઓ એ આસોપાલવ, નીલગીરી, તેમજ  લીમડો સહીત વિવિધ છોડોનું વૃક્ષારોપણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ગ્રામજનોને 2000 જેટલા વિવિધ જાતિના રોપાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. વનવિભાગના અધિકારી અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત સૌને છોડનુ વિતરણ કરીને પર્યાવરણને લગતો સંદેશો આપ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *