બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Amreli

રીપોર્ટ : આદીલખાન પઠાણ બાબરા

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બળેલ પીપળીયા, વાવડી,લોનકોટડા,ઉટવડ,વાવડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. અને કોરોના થી મૃત્યુ પામેલ હોય તેને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને કોરોના થી મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરી કોરોના થી મૃત્યુ પામેલ લોકોના સાચા આંકડા સરકાર સુધી પહોંચે અને તેમના પરિવારને મળવાપાત્ર સહાય મળે તે અંગે લોકોને જાગૃત કર્યા હતા તેમજ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા આ તકે પાયલબેન પટેલ દ્વારા સત્તામાં રહેલી સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લઇ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સુખાકારી સુવિધા મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવશે આ તકે પ્રમુખ કીશોરભાઈ રાદડિયા, ઉપપ્રમુખ રાજુભાઈ ખાત્રોજા, મહા મંત્રી ભુપતભાઈ વીરડીયા, સંગઠન મંત્રી જયસુખભાઇ પાંચાણી,મંત્રી ભાવેશભાઈ બગથળીયા,યુવા પ્રમુખ ચેતનભાઈ ખાનપરા,બાબરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરવાડ,સુરત કોપરેટર પાયલબેન પટેલ, સોશિયલ મીડિયા પ્રમુખ સાગર.એસ.રાસડીયા,યુવા મંત્રી સંદીપ સીયાણી સહિત આમ આદમીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *