જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ.

Latest

ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ ઓછું થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.હાલ તહેવારોધિકારીઓની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગ છે. અને શિક્ષણ પણ ધીરે ધીરે અનલોક થઈ રહ્યું છે. કોલેજો, યુનિવર્સિટી, ધોરણ 9થી 12ના ઓફલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. પરિણામે, સરકાયોર હવે પ્રાથમિક વિભાગમાં ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ચાલુ અઠવાડિયામાં જ રાજ્ય સરકાર આ અંગે કોઈ નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે, જેમાં જન્માષ્ટમીના તહેવારો બાદ સપ્ટેમ્બરના આરંભથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ થવાના સંકેતો શિક્ષણ વિભાગનાં સૂત્રોએ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *