પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી પદયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કિર્તિ મંદિર થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ની આગેવાનીમાં કરવામાં આવ્યું છે.
આ પદયાત્રાનું માંગરોળ ખાતે આગમન થતાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ પદયાત્રીઓને હાર તેમજ સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોકિયા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી સિડા, માંગરોળ નગરપાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હારુનભાઈ જેઠવા, બૈતુલ માલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય વાલભાઈ ખેર, તાલુકા કોંગ્રેસ અગ્રણી કાનાભાઈ રામ, નગરપાલિકાના સદસ્યો ઇબ્રાહિમ બખાઈ, દાઉદ ચુડલી, તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ પદયાત્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું અને તમામ યાત્રીઓને લીંબુ આપવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *