માંગરોળ ના શેરીયાજ ગામે પાણીના સ્ટેન્ડ રાખવા બાબતે માથાકૂટ, જ્ઞાતી પ્રત્યે હડદૂત કરતા ફરિયાદ નોંધાઇ

Junagadh

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ આશરે આઠ મહિના પહેલા આરોપી ભાવેશ દેવા ચુડાસમા અને રામભાઈ દેવા ચુડાસમા સાથે ફરિયાદીના મકાનના બહાર પાણીનું સ્ટેન્ડ રાખેલું હતું જે બાબતે ખાર રાખી બંને આરોપીઓ એ ત્યાં આવી જ્ઞાતિ વિશે હડદુત કરી ઢીકા પાટુ નું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદીને મારમારતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવતા આગેવાનો ને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી અવ્યા હતા.તેમજ ફરિયાદીના માથાના ભાગે અને મોઢામાં માર મારી દાઢ પાડી નાખતા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
પોલીસે એસ્ટ્રોસીટી એકટ સહિતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *