સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારમાં રોષ.

surat

અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરતા લક્ષ્મીબેનના મૃતદેહનો પગ રાત્રિ દરમિયાન ઉંદરે કોતરી ખાતાં કર્મચારીઓ જ નહીં પણ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતા. લક્ષ્મીબેન ઘરમાં પડી ગયાં હતાં. બાદમાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયાં હતાં, જેમનું મંગળવારની રાત્રે મોત થયા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મુકાયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એક વૃદ્ધના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. મોટા અને જાડા ઉંદરો સાથે માખીઓના ત્રાસ વચ્ચે પોસ્ટમોર્ટમ કરવા ડોક્ટરો મજબૂર હોવાનું કહી રહ્યા છે. ઉંદરની આ સમસ્યા લાંબા સમયથી ઘર કરી ગઈ છે છતાં કોઈ નિકાલ કરતો તેમ પોસ્ટમોર્ટમ રૂમના કર્મચારીઓ કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *