દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ: ભાજપ સાંસદનો નાણામંત્રીને પત્ર

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી.સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે .નર્મદા ડેમ-સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેકટ હોવા છતાં આદિવાસીઓના વિકાસના પ્રશ્નો અધૂરાઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ પદેથી અને પક્ષમાંથી રાજીનામુ ધરી દેનાર ગુજરાતના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ દેશના કેન્દ્રીય નાણામંત્રીને દેશમાં આદિવાસીઓની સ્થિતિનું વર્ણન કરતો એક પત્ર લખ્યો છે.એ પત્રમાં મનસુખ વસાવાએ આદીવાસીઓના વિકાસ માટે સરકારને કેટલાક સૂચનો પણ આપ્યા છે, તો સાથે સાથે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના વિકાસમાં કચાશ રખાઈ હોવાનું પણ આડકતરી રીતે જણાવ્યું છે.એમણે એમ પણ જણાવ્યું હતું કે આદિવાસીઓના વિકાસ માટે સરકારે બજેટમાં જોગવાઈ કરી છે. એ સરાહનીય પગલું છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં જણાવ્યું છે. કે આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી, ભાજપના શાસન પછી જ વિકાસ દેખાઈ રહ્યો છે. અને આદિવાસીઓના વિકાસ માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.પરંતુ દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ છે.આદીવાસી સમાજના એક પરિવાર પાસે 5-10 એકર જ જમીન છે, સિંચાઈની સુવિધાના અભાવે સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે. આદિવાસીઓને ગાય-ભેંસ ખરીદવા તથા દૂધ કો ઓપરેટિવ સોસાયટીઓને વર્તમાનમાં અપાતી આર્થિક સહાય વધારવી જોઈએ.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે., સાથે સાથે આદીવાસી અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં એડમિશન તો મળે છે. પરંતુ યોગ્ય રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના શહેરી વિસ્તારોમાં રહેતા આદીવાસીઓને આવાસ બનાવવા જમીન નથી એવા ગરીબ પરિવારના લોકોને રહેવા લાયક જમીનની વ્યવસ્થા કરવી જોઈએ.દેશમાં ચાલી રહેલી મોટી મોટી પરિયોજનામાં જે પણ આદીવાસી ખેડૂતની જમીન સંપાદિત થાય છે.અથવા જેમને વિસ્થાપિત કરાય છે.એમને જમીન અને પ્રાથમિકતાના આધારે પરિયોજનામાં રોજગારી ઉપલબ્ધ કરાવવી જોઈએ, ખનન માટે લેવાતી જમીનની સામે યોગ્ય વળતર મળવું જોઈએ.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેકટ હોવા છતાં એ વિસ્તારના આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન સાથે જોડાયેલા પ્રશ્નો હાલમાં પણ અધૂરા છે.આ સવાલોના હલ માટે સરકારી તંત્ર પર નિર્ભર ન રહી એ વિસ્તારની પુરી જાણકારી રાખવવાળા જન પ્રતિનિધિને એક સમિતિ અથવા બોર્ડ બનાવી એમાં સમાવી પ્રશ્ન હલ થઈ શકે છે.આજે દેશના અનેક રાજ્યોમાં આદિવાસીઓનો ખોટા પ્રમાણપત્રો લેવાના પ્રયાસો થઈ રહ્યા છે, જો એના પર રોક નહિ લગાવાય તો આદિવાસીઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *