હળવદના ઈગોરાળા ગામની વાડીમાં ૪૦ વિઘા ઘઉંમાં આગ લાગી

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈગોરાળા ગામની સીમમાં આવેલ પદુભા ઝાલા ની વાડી હળવદના ખેડૂત કરસન દલવાડી વાડી રાખી હતી. ત્યારે ૪૦ વીઘા ઘઉંમાં એકાએક આગ લાગતાં ૪૦ વીઘા ઘઉ બળીને ખાખ થઇ ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે, આજુબાજુના કોઈ અજાણ્યા માણસે ગાંડાબાવળ સળગાવતા તણખલા ના કારણે આગ લાગવાના બનાવ બન્યો હતો.આગ નાં કારણે 40 વીધા ઘઉ બળી ગયા હતા. આગનો બનાવ બનતા આજુબાજુના ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ખેડૂતોને આમ આગ લાગવાના કારણે ખેડૂતને મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જતાં ખેડૂત ની હાલત કફોડી બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *