બેઢિયા ગામમાં યુવાનો દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી.

Panchmahal

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની સાથે સાથે દેશ માટે બલિદાન આપનાર શહીદોને પણ યાદ કરવામાં આવ્યા. આ નિમિત્તે બેઢિયા ગામના તથા આજુબાજુના ગામના ૭૦-૮૦ જેટલા યુવાનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. અને મીણબત્તી સળગાવીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *