ગીર સોમનાથ: તાલાલામાં થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે યોજાયેલી સેવાયજ્ઞમાં 60 દાતાઓએ રક્તદાન કર્યું.

Gir - Somnath Latest
રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા

તાલાલા ગીર ચેમ્બર ઓફ કોમર્સ તથા રેડ ક્રોસ બ્લડ બેન્ક રાજકોટના સંયુક્ત ઉપક્રમે લોહાણા મહાજન વાડીમાં થેલેસેમિયા પીડિત બાળકો ના લાભાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 60 દાતાઓએ રક્તદાન કર્યું હતું. આ માનવ સેવા યજ્ઞમાં તાલાલા શહેર તથા તાલુકાના તમામ સમાજના લોકોએ રક્તદાતા બની સહભાગી થયા બદલ માનવસેવા યજ્ઞના આયોજકોએ તાલાલા પંથકના પરોપકારી અને સેવાભાવી લોકોને જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. આ માનવ સેવા યજ્ઞમાં થેલેસીમિયા થી પીડાતા બાળકોના લાભાર્થે રક્તદાન કરનાર ને તાલાલા શક્તિપીઠ ગાયત્રી પરિવાર દ્વારા તમામ ડોનેશન કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *