બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત..

Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ફાટક નં.153 નજીક રેલ્વે ટ્રેક ઓળંગતા હતા ત્યારે અજમેર-મૈસુર ટ્રેન પુર ઝડપે આવી જતાં રહાદારી ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ વાત વાયુવેગે ઈકબાલગઢમાં પ્રસરતાં લોકોના ટોળેટોળા ઊમટયા હતા. પાલનપુર રેલ્વે પોલીસના એ.એસ.આઇ રઘુનાથભાઇના જણાવ્યા મુજબ ટ્રેનની અડફેટે આવનાર વ્યક્તિ અમીરગઢ તાલુકાના આંબાપાણી ગામના ભેરાભાઇ ઉદાભાઇ ધ્રાંગી છે. જે અંદાજે 70 વર્ષના છે રેલ્વે ટ્રેક ઓળંગવા જતા ટ્રેનની અડફેટે આવતા તેઓનું મોત નિપજ્યું છે અને લાશનું પી.એમ.કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *