જૂનાગઢ જિલ્લાની માંગરોળ કેશોદ ચોકડી પાસે ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત..

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ પાસે બાયપાસ ચોકડી છે ત્યાં સોમનાથ થી પોરબંદર અને કેશોદ થી માંગરોળ સીટીમાં જવા માટે ના રસ્તાઓ છે જ્યાં ચોકડી પર કોઈ પ્રકારના પટ્ટા કે બમ્પ બનાવમાં આવેલ નથી. જેથી સોમનાથ અને પોરબંદર તરફથી ઝડપી આવતા વાહનનો દ્વારા આ ચોકડી પર અકસ્માતો વધુ થતા હોય છે. જેના કારણે નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઢવી પડશે જેથી વહેલી તકે આ ચોકડી પર બમ્પ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આજરોજ સવારના સમયે સોમનાથ થી પોરબંદર તરફથી આવતી કાર જી.જે.11.એ.બી 4853 પૂર ઝડપે નીકળતા ચોકડી પર થી પોરબંદર તરફથી આવતા મોટર સાયકલ જી.જે.11.એ.એન.9576 વાળાને ઠોકર મારતા ફરી અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ ચાલકને ઇજા થતા માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *