નર્મદા: નાંદોદ તાલુકાના કરાઠા ગામમા ફટાકડા ફોડવાનું ના કહેતા માર મારી જાન થી મારી નાંખવાની ધમકી આપનાર 4 સામે ફરિયાદ

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નાંદોદ તાલુકાના કરાઠા ગામના નરોત્તમ ભાઇ રામાભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના ઘર પાસે અક્ષયભાઇ રતીલાલ વસાવા ફટાકડા ફોડતા હતા. જેથી તેમણે અહી ફાટાકડા ફોડીશ નહી હું બીમાર છું તેમ કહેતા તે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતા ગાળૉ બોલવાની ના પાડતા તે લાકડી લઈ આવી તેના માથાના પાછળના ભાગે મારી ઇજા કરી તથા શરીરે પણ માર મારી ઇજા કરી તે સમયે રતીલાલ મંગાભાઇ વસાવા,વાસુબેન રતીલાલ વસાવા અને રાહુલભાઇ રતીલાલ વસાવા તમામ રહે, કરાઠા તેનું ઉપરાણું લઈ ગાળો બોલી ઝપાઝપી કરી એક બીજા ને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *