મોરબી: હળવદના ઘનશ્યામપુર ગામે સામાન્ય બાબતે થયેલી મારામારીમાં સામસામે ફરિયાદ નોંધાઇ

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદના ઘનશ્યામપુર ગામે સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે થોડા દીવસો પહેલા મારામારી થઈ હતી. જેમાં જે તે સમયે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી કમળાબેન મનસુખભાઈ રાઠૉડ (ઉ.વ.૪૦, ઘનશ્યામપુર, હળવદ) વાળીએ આરોપીઓ દેવજીભાઈ બાલાભાઈ સોલંકી, સોમાભાઈ બાલાભાઈ સોલંકી (રહે ઘનશ્યામપુર, હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૩ ના રોજ ફરીયાદીના છોકરાઓ રામાપીરના મંદીરના ઓટા પર બેસતા હોય જે બાબતનું મન;દુખ રાખીને આ કામના આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે લાકડી લઈને આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલીને તથા સાહેદ જયેશભાઈને ઢીકા પાટુ વડે મુઢ માર મારીને શરીરે સામાન્ય ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સમાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *