રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
સમગ્ર ભારત દેશ જયારે કોરોના વાઇરસ જેવી બીમારી થી ચિંતાતુર છે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ૧૭મે સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે તે અપીલ ને માન આપીને બાબરકોટ ગામનાં સર્વ ગ્રામ જનો દ્વારા શ્રી વડાપ્રધાનના નિર્ણય ને સમર્થન આપવામાં આવી રહ્યું છે સૌથી અગત્યની બાબત એ છે કે બાબરકોટ ગામનાં લોકો સુરત તેમજ મુંબઈ થી પોતાના ઘેર પરત બાબરકોટ આવતાની સાથે જ બાબરકોટ ગામનાં PHC ના મેનેજર રણછોડ ભાઈ,ડોકટર ભૂમિકા મેડમ,આશા મેડમ દ્વારા ખાસ મુલાકાત લીધી હતી અને કોરાના વાયરસ ફેલાવો રોકવા અંગે લોક જાગૃતી અંતે માહિતી આપવામાં આવી હતી ડોકટર ભૂમિકા મેડમ દ્વારા લોકો ને ૧૫ દિવસ ઘરની બહાર નીકળવું નહિ ઘરે રહીને હેન્ડ વોશથી હાથ ધોવા તેમજ કોઈને હાથ ન મિલાંવવા અને ઘરના લોકો થી ૧ મીટર ની દૂરી બનાવી રાખવાનું જણાવ્યુ હતુ. તેમજ માસ્ક હંમેશા પહેરવો તેમજ અનેક સૂચનોઓ લોકોને આપવામા આવી હતી.
તેમજ સુરત તેમજ મુંબઈ થી આવેલ બાબરકોટ ના લોકો દ્વારા ડોક્ટરોનાં સૂચનોનું ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવી રહ્યુ છે..PHC ડોકટરો અને સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયત ના સભ્ય દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે