હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે શિવાલયના લાભાર્થે 25મી તોરણીયા રામામંડળનું ભવ્ય આયોજન.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે સમસ્ત ગ્રામજનો આયોજન નવનિર્માણ પામી રહેલા શિવાલયના લાભાર્થી ૨૫ ફેબ્રુઆરીના રોજ વિશ્વ વિખ્યાત એવા તોરણીયાના રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આગામી 25 ને ગુરુવારે રાત્રે 9:00 વાગે વિશ્વ વિખ્યાત એવા તોરણીયા વાળા રામામંડળ દ્વારા ભગવાન રામદેવપીરના જીવન કથા પર આધારિત આખ્યાન રામામંડળ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માલણીયાદ ખાતે અંદાજે ૩૫ લાખથી વધુ ખર્ચ નવનિર્માણ પામી રહેલા શિવાલય લાભાર્થ ગ્રામજનો સમસ્ત કરવામાં આવી રહ્યું છે. તો તોરણીયા રામામંડળ સુર, સંગીત સાથે નજરે નિહાળવા ભાવભીનું આમંત્રણ ગામલોકો દ્વારા પાઠવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *