દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જીની 67મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો.

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જી મહારાજની 67વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ નો કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની કોરોના વિશેની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણ પણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજય જી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણના કર્યોમાં કાર્યશીલ છે. વર્તમાન સમયમાં મિશનની પોતાની સમાજ કલ્યાણની શાખા “સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન” દ્વારા સ્વાસ્થ્ય અને સશકિતકરણના અનેક કાર્ય કરી રહ્યા છે. વર્તમાન સમયના સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ, બાબા હરદેવ સિંહ જીના સંદેશને આગળ વધાવતા આ જ પ્રેરણા આપી રહ્યા છે કે, જીવન તભી સાર્થક હે, જબ વહ દૂસરો કે કામ આયે. સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના સતગુરુ બાબા હરદેવસિંહ મહારાજે ૨૦૧૦માં કરી હતી. દર વર્ષે ૨૩ ફેબરુઆરીના દિવસે સતગુરુ બાબા હરદેવસિંહના જન્મ દિવસના સુઅવસર પર અનેક ક્ષેત્રોમાં સામાજિક કાર્ય થાય છે. બાબાજીનો આ સંદેશ હતો કે, આગળના વર્ષોમાં પણ ફેબરુઆરીના માસમાં આ સેવાઓ રોકવી ના જોઈએ. આ વર્ષે કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યું કે, દરેક જોન અને બ્રાન્ચમાં સંત પરિવાર પોતાના નિવાસ સ્થાને અથવા એવા કોઈ સ્થાને જ્યાં વૃક્ષ વાવિયે ત્યાં વૃક્ષ ને દત્તક લઈને તેની સારસંભાળ સારી રીતે રાખીને તેને ઉછેરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *